મુલાકાત બદલ આભાર

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

ગુજરાતનાં મ્યુઝિયમો



ગુજરાતનાં મ્યુઝિયમો

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
 

 આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
 

(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.

 
-
આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.

 

(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.

 
-
ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.

 

(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.

 
-
તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

 

(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.

 -મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
 

(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.

 
-
ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
 

(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
 
-
આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.

 

(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.

 
-
ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.

 
-
તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.

 

(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.





-
આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-
આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-
પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-
તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

 

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.

 
-
મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 

(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.




-
તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
 

(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.

 
-
તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-
તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.

 

(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.

 
-
આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.

 

(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.



-
વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
 

(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.




-
આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
 

(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.



-
તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
 

(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.

 
-
તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.

 

(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
 
-
તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.

 

(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.



-
તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
 

(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.


-
તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
 

(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.

 
-
આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.

 

(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
 -તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
 

(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-
તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.

 

(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-
જે બાળકો માટે છે.

 

(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-
જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.


ગુજરાતનાં ભાતિગળ મેળા


ગુજરાતનાં ભાતિગળ મેળા 


કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.


  • તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)

ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્‍થાન છે. સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્‍ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.

પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્‍વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.


  • ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)

જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્‍યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્‍નાન કરે છે.

પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્‍થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્‍નાન કરવા આવે છે.


  • વૌઠાનો મેળો

વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્‍કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં 


કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

૨૯ જાન્યુઆરી વિલિયમ રોધેન્સ્ટાઇન



વિલિયમ રોધેન્સ્ટાઇન ૨૯ જાન્યુઆરી
  

 ભારતીય કલા અને સંસ્કૃતિના સક્રીય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ 29/1/1872માં ઇંગ્લેન્ડમાં થયો  હતો..નાનપણથી  તેમને  ચિત્ર દોરવાનો અને કંઇને  કંઇ સાહિત્ય વાંચવાનો અદમ્ય  શોખ હતો. ન્યુ ઇંગ્લીશ આર્ટ કલબનામના કલાકાર મંડળમાં પણ  જોડાયેલા. હર્બર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્ચેલર તેમજ રૉયલ કૉલેજ ઓવ આર્ટસના સંચાલક તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી હતી.તેમણે આત્મકથનાત્મક ત્રણ સચિત્ર  ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ  રોની મુલાકાતએ સૌથી મોટું ને ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.બેઠા રંગોમાં ચિત્ર કરવાની  જે શૈલી તેમણે આત્મસાત  કરેલી  તેને  ઉઠાવ આપવાનું  કામ તેમણે કરેલું. અજંતાના  ચિત્રોની વધુ આધારભૂત નકલ ઉતારવા લેડી હેરિંગહામ  સાથે હિંદની કલાયાત્રાએ પણ તેઓ આવી ગયેલા. તેમના શુભ પ્રયાસથી જ રવીન્દ્રનાથ ટાગોરનો  ‘ગીતાંજલીકાવ્યસંગ્રહ પહેલી વાર ઇન્ડિયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાંઆવ્યો હતો અને જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિકપ્રાપ્ત થયું હતું.ભારતવાસ દરમિયાન તેમને થયેલા મહત્વના  સંપર્કો પૈકીનો મુખ્ય હતો ટાગોર પરિવાર સાથેનો. ઇ.સ.1945 માં  તેમણે  ચિરવિદાય લીધી. હિંદી કલાને વિશ્વવિખ્યાત  બનાવવા આ મહાન કલાકારે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. લંડનનાઇન્ડિયા હાઉસના ચિત્રો હિંદી કલાકારો પાસે જ કરાવાવાનો  યશ તેમને ફાળે જાય છે.

સોમવાર, 28 જાન્યુઆરી, 2013

૨૮ જાન્યુઆરી લાલા લજપતરાય



લાલા લજપતરાય ૨૮ જાન્યુઆરી


   લાલ,બાલ  અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં  એક પ્રભાવશાળી વ્યક્તિત્વ  અને નવયુવાનોના હ્રદયમાં  આદરરણીય  સ્થાન  ધરાવતા લાલા  લજપતરાયનો  જન્મ  28/1/1865 ના રોજ થયો હતો.મિડલ સ્કૂલની પરીક્ષા કરી, કૉલેજમાં  શિષ્યવૃતિ    મેળવી અને  વકીલાત શરૂ  કરી. પૂનામાં ફાટી નીકળેલા  ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ ને દુ:ખી ભાઇભાંડુઓને  સક્રીય મદદ કરવા માટે લાલાજીએ  દિન-રાત એક કરીને આપણી  સમક્ષ એક અનન્ય અને  પ્રેરક દ્દષ્ટાંત રજૂ કર્યું. ઇંગ્લેન્ડ જઇ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક્ક  પર ઠેરઠેર વ્યાખ્યાનો આપી  લોકમત જાગૃત કર્યો. તેમણે  ‘પંજાબી મુખપત્ર દ્વારા અંગ્રેજોના વલણો અંગે સખત ઝાટકણી કાઢી.તેમણે ‘ગોરીબાલ્ડી’, ’છત્રપતિ શિવાજી’, ’શ્રદ્ધાનંદજી’, ’શ્રી કૃષ્ણએમ કુલ ચાર પુસ્તકો લખ્યા. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાંસુધી  મોખરે રહ્યાં.સાયમન  કમિશનનો બહિષ્કાર  કરવા કાઢેલા સરઘસની આગેવાની  લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઇ.સ.1928માં અમરશહીદીને વર્યાં.તેઓએ કહેલું : મને  મારેલી  પ્રત્યેક લાઠીના  કારમા ઘા બ્રિટિશ સામ્રાજયના કફનનો એક  એક ખીલો પુરવાર થશે.જે સાચી જ પડી.દિનબંધુ એન્ડ્રુઝે અંજલિ આપતા કહ્યું કે 'તેઓ વીરોના પણ વીર હતા અને  આના કરતા તેઓ કયું સારું મૃત્યુ ઇચ્છત !